ભાજપનાં નેતા સંબિત પાત્રાએ માફી માંગી: ભગવાન જગન્નાથને PM નરેન્દ્ર મોદીનાં ભક્ત કહ્યાં હતા, ઓડિશાના મુખ્યમંત્રીએ કહ્યું- આ ભગવાનનું અપમાન
- 21 May, 2024
બીજેપી નેતા અને પુરી લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેની એક કથિત વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ કોઈ ઓડિયો ચેનલ સાથેની વાતચીતમાં એમ કહેતા સાંભળી શકાય છે કે ભગવાન જગન્નાથ પીએમ મોદીના ભક્ત છે.
आज महाप्रभु श्री जगन्नाथ जी को लेकर मुझसे जो भूल हुई है, उस विषय को लेकर मेरा अंतर्मन अत्यंत पीड़ित है।
— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024
मैं महाप्रभु श्री जगन्नाथ जी के चरणों में शीश झुकाकर क्षमा याचना करता हूँ। अपने इस भूल सुधार और पश्चाताप के लिए अगले 3 दिन मैं उपवास पर रहूँगा। ଆଜି ଶ୍ରୀ… pic.twitter.com/rKavOxMjIq
સંબિત પાત્રાની વાઈરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માણસનાં ભક્ત કહેવા તે ભગવાનનું અપમાન છે. તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તોનું અપમાન થયું છે.
બીજેપી નેતા સંબિત પાત્રાએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી. સીએમ નવીન પટનાયકની એક્સ પોસ્ટને શેર કરતા પાત્રાએ લખ્યું કે આજે પુરીમાં પીએમ નરેન્દ્ર મોદીજીના રોડ શોની ભારે સફળતા પછી મેં મીડિયા ચેનલોને ઘણી બાઈટ્સ આપી, દરેક જગ્યાએ મેં ઉલ્લેખ કર્યો કે મોદીજી એક ઉત્સાહી અને શ્રીજગન્નાથ મહાપ્રભુનાં ભક્ત છે. મેં તેનું ઉંધુ ઉચ્ચારણ કરી દીધું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ